ડીસામાં કાર્યક્રમ પૂર્ણ કરી સીડી ઉતરતી વખતે સંતને હાર્ટએટેક આવતાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે ડીસામાં એક કાર્યક્રમ દરમ્યાન સંતનું હાર્ટએટેક આવતાં તેમનું મોત થયુ હતુ. જેને લઇ તેમને તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન સંતનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. નોંધનિય છે કે, ગઇકાલે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે ગઇકાલે સાંજે કાર્યક્રમ દરમ્યાન એક સંતનું હાર્ટએટેકથી મોત થયુ છે. ડીસામાં ગઇકાલે સાંજે રાષ્ટ્રીય એકતા મંચ દ્રારા એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારા, સંત અજમલભારથી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ સીડી ઉતરતી વખતે સંત અજમલભારથીને હાર્ટએટેક આવ્યો હતો. જેને લઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન તેમનું મોત થયાનું સામે આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.