અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ
અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. VVIP થી લઈને સામાન્ય લોકો રામલલાના દર્શન કરવા મંદિરમાં કતારમાં ઉભા છે. આ દરમિયાન અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત લખનૌના બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને પણ બોમ્બની ધમકી મળી છે. આ પછી પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના હોશ ઉડી ગયા.
સીતાપુર રોડ પર સ્થિત પાલ રેસ્ટોરન્ટમાં પોલીસને ધમકીભર્યો પત્ર મળ્યો છે. ત્યારપછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો પહેલા કરતા વધુ સતર્ક થઈ ગયા છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
ધમકીભર્યા પત્રમાં એક છોકરીનો નંબર લખેલો છે
પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં અનેક વાંધાજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. પત્રમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા સહિત અન્ય વાંધાજનક બાબતો લખવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે પત્રમાં લખેલ યુવતીનો નંબર ડાયલ કર્યો અને જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. તેમાં તે છોકરીનો નંબર લખેલો છે.