![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ચેક-રિટર્ન-કેસમાં-આરોપીને.jpg)
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા – પાલનપુર સિવિલ જજનો ચુકાદો
વાવ તાલુકાના ગોલગામ ખાતે રહેતા કરશનભાઇ કુંભાભાઈ સોલંકીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ થરાદ શાખામાંથી વાહન ઉપર લોન લીધી હતી. જેની બાકી નીકળતી રકમ રૂ.૯,૩૧,૦૦૦ ભરપાઇ કરવા માટે આરોપી કરશન ભાઇ સોલંકીએ આપેલ ચેક રિટર્ન થયો હતો. આ અંગે થરાદ બ્રાંચના કલેકશન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં પાલનપુરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબે ફરિયાદીના વકીલ જયેશ.બી.ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી કરશનભાઇ કુંભાભાઈ સોલંકીને નેગોશિયેબલ ઇન્સ્ટરૂમેન્ટ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ હેઠળ ગુનો કરવા બદલ ૧ (એક) વર્ષની સાદી કેદની સજા કરી હતી. જેમાં જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હૂકમ કર્યો હતો.