બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ત્રણ તાલુકાઓમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી 14 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ત્રણ તાલુકાના લોકોને પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. બીકે-2 યોજનાના ફિલ્ટર પ્લાન્ટ સહિતના સમારકામને લઈ પાણીનો કાપ જાહેર કરવામા આવ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પાણીની આ યોજના દ્વારા મળતો જળ જથ્થો બંધ રાખવામાં આવશે.


બુધવારથી દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય વોટર લાઈનનું સમારકામ હાથ ધરાનારા છે. લગભગ 83 જેટલા ગામના લોકોને પાણીનો જથ્થો નહીં મળે. વાવ તાલુકાના 39, સુઇગામના 29 અને થરાદ તાલુકાના 15 ગામોને આ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે. જે મુજબ જરુરિયાત મુજબ પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે અને ઓછો વપરાશ કરવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.