બનાસડેરી અને સરકારી પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી
ખરવા મોવાસાના રોગને નાથવા માટે બનાસડેરી અને સરકારી પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કાંકરેજના 89 ગ્રામ પંચાયત ના 109 ગામમાં સઘન રસીકરણ કરાશે. દોઢ લાખથી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરાશે તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ 20 હજાર પશુઓને આજથી ખરવા મોવાસાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખરવા મોવાસા નામના રોગે હાહાકાર મચાવ્યો છે. આ રોગના કારણે પશુ પાલકોના દુધાળા પશુઓ મોતને પણ ભેટી રહ્યા છે, ત્યારે ખરવા-મોવાસા રોગને લઈને તંત્રએ કાંકરેજ વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે. કાંકરેજના 89 ગ્રામ પંચાયત ના 109 ગામમાં સઘન રસીકરણ કરાશે. જેમાં દોઢ લાખ થી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરવામાં આવશે.
તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ 20 હજાર પશુઓને અપાશે. ખરવા મોવાસાની રસી આપવાના નું ચાલુ છે. જોકે, આ કામગીરીમાં બનાસ ડેરી દ્વારા ગામડાઓની ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને મંત્રીને ફાળવવામાં આવ્યા છે. રસીના ડોજ જિલ્લા પંચાયત ના 32 નિરીક્ષકો ની નિગરાની હેઠળ બનાસ ડેરીના 70 કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.