![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ઠાકોર-સમાજનો-વિકાસ-અને-ઉત્કર્ષ-02.jpg)
સમાજના યુવાનો શૈક્ષણિક સામાજિક રીતે આગળ આવે તે માટે પ્રયાસો હાથ ધર્યા
ઠાકોર સમાજનો વિકાસ અને ઉત્કર્ષ થાય તે અંગે ચર્ચા વિચારણા કરી સમાજના યુવાનો શૈક્ષણિક સામાજિક રીતે આગળ આવે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
ડીસામાં અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા જલારામ મંદિર ભવનમાં ચિંતન શિબિર અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતમાં કામ કરતા ઠાકોર સમાજના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોર સમાજમાંથી વ્યસન દૂર થાય,શિક્ષણ વધે સમાજના યુવાનો રમત ગમત, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ યુવાનો સાથે પણ સંવાદ કરી સમાજ વિકાસ માટે મક્કમ નિર્ધાર કર્યો હતો.
ઠાકોર સમાજ કર્મચારી મંડળના આગેવાન શ્રવણજી ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના કર્મચારીઓની જલારામ ભગવાન ખાતે ચિંતન શિબિર અને મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય અને સમાજ પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે માત્ર ચર્ચા જ નહીં પરંતુ મક્કમ નિર્ધાર કર્યો હતો અને સમાજના આગેવાનો અને યુવાનોએ સમાજને આગળ લાવવા માટે સહિયારો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.