![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ઢીમા-ઈઠાટા-માઇનોર-એક-01.jpg)
ઢીમા ઈઠાટા માઇનોર એક અને બે કેનાલમાં છેલ્લા ૧૫ દિવસથી સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતો પરેશાન
વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા ઈઢાટા માઇનોર કેનાલ એક અને બેમાં છેલ્લા ૧૫ દિવસથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા અત્યારે ખેડૂતોએ ઉગાડેલો પાક મુર્જાવવા લાગ્યો છે. ખેડૂતો દ્વારા તંત્રનો વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા આંખ વાદા કામ કરવામાં આવે છે અને છેલ્લા ૧૫ દિવસથી પાણી છોડવામાં આવતું નથી. જેથી કરીને ખેડૂતો ની હાલત અત્યારે કાપડી થઈ જવા પામી છે. આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નોંધણી ઢીમા ઇઠાટા માઈનોર એક અને બેમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જો બે દિવસની અંદર કેનાલમાં સિંચાઈ માટેનું પાણી આપવામાં નહીં આવે તો થરાદ ખાતેની નર્મદા કચેરી ખાતે ખેડૂતો દ્વારા ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી પણ ઉચારવામાં આવી હતી.
મેઇન કેનાલમાંથી પુરવઠો અમને મળતો નથી જવાબદાર અધિકારી: જોકે વધુમાં આ બાબતે નર્મદા વિભાગના જવાબદાર અધિકારી સુનિલભાઈનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે મેઇન કેનાલમાંથી પુરવઠો આપવામાં આવે છે તે પુરવઠો અમને મળતો નથી. જેના કારણે અમે ખેડૂતોને પાણી આપી શકતા નથી જો પાણી પુરવઠો મેન કેનાલમાં વધશે તો ખેડૂતોને પાણી મળશે જેવો જવાબ આપ્યો હતો.
તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેસીશું: ખેડૂત આ બાબતે ઢીમા ગામના સ્થાનિક ખેડૂત પટેલ જેમલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા અમને સિંચાઈ માટે પાણી કેનાલની અંદર છેલ્લા ૧૫ દિવસથી અપાતું નથી અને છેલ્લે અમારે એક પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોની આવી અમારી દશા કરીને મૂકી છે. અમારે અત્યારે જવું તો ક્યાં જવું લાખો રૂપિયાના ખર્ચો કરીને અમે પાક તો ઉગાડ્યો પણ અમને છેલ્લું પાણી સિંચાઈ માટે મળતું નથી. જેથી કરીને અમે જે રાત દિવસ કાળી મજૂરી કરીને પાક તૈયાર કર્યો છે. તે પાક અત્યારે મુર્જાઈ રહ્યો છે. જો અમને તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો અમે બે દિવસની અંદર નર્મદા ખાતેની ઓફિસે ઉપવાસ ઉપર બેસીશું જેવું જણાવ્યું હતું.