જૂનાગઢના સોંદરડા નજીક બારદાનના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના બારદાન બળીને ખાખ
કેશોદના સોંદરડા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં વહેલી સવારે બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જેને લઇ સ્થાનિકો દ્વારા ગોડાઉનના માલિકને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ કેશોદ નગરપાલિકા દ્વારા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા .જેમાં કલાકો ની જાહેમત બાદ આગભર કાબુ મેળવાયો હતો. ત્યારે લાખો રૂપિયાના બારદાન બળીને ખાસ થયા હતા.તો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
આગ મામલે ભરતભાઈ લાડાણીયા જણાવ્યું હતું કે કેશોદ નજીક સોંદરડા ઉદ્યોગનગરમાં મારું ગોડાઉન આવેલું છે. અહીંના સ્થાનિક લોકો દ્વારા મારા ગોડાઉનમાં આગ લાગ્યાની મને જાણ કરાય હતી.મને મારા ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતા હું તાત્કાલિક અહીં ગોડાઉને આવ્યો હતો.આગના કારણે લાખો રૂપિયાની નુકસાની થઈ છે.કેશોદ નગરપાલિકાના ફાયર વિભાગના સુધીર જોશીએ જણાવ્યું હતું કે. ગઈકાલે રાત્રે વહેલી સવારે ચાર વાગ્યે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો.કે સોંદરડા બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. અને અમારી ફાયર વિભાગની ટીમ સોંદરડા ખાતે દોડી ગઈ હતી અને જ્યાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ આગ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઈ છે અને આ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.