કાંકરેજ -દિયોદર મૈડકોલ ગામના પાટિયા નજીક ખીલખિલાટ વાન અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ -દિયોદર મૈડકોલ ગામના પાટિયા નજીક ખીલખિલાટ વાન અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ખીલખિલાટ વાન ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે વાનમાં બેસેલા સગર્ભા મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોના મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે. કાંકરેજ દિયોદર વચ્ચે એક આઈસર ટ્રક અને ખીલખિલાટ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દિયોદરના રૈયાની ખીલખિલાટ વાન એક સગર્ભા મહિલા દર્દીને થરા ખાતેથી લઈ પરત દિયોદર જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કાંકરેજના મેડકોલ ગામના પાટીયા નજીક આઇસર ટ્રક અને ખિલખિલાટ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું મોત નીપજ્યું હતુ અને વાનમાં સવાર સગર્ભા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બનાવવાની જાણ થરા પોલીસને થતા થરા PSI સહીત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની હાલત અતિ ગંભીર થતાં થરા રેફરલ હોસ્પિટલમાંથી પાટણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવના પગલે થરા પોલીસે અકસ્માત ને લઇ આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.