![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/વાવ-તાલુકામાં-પશુઓને-ખરવા.jpg)
પશુઓને ખરવા નામનો રોગ થવાથી પશુપાલકોની હાલત કફોડી બની
વાવ તાલુકામાં પશુઓને ખરવા નામનો રોગ થવાથી પશુપાલકોની હાલત કફોડી બની છે. ખરવા નામના રોગને કાબૂમાં કરવા સરકાર દ્વારા સત્વરે પશુઓમાં રસીકરણ કરાવે તેવી પશુપાલકોની માંગ ઉઠી છે.
વાવ તાલુકામાં ગાય, ભેંસમાં ખરવા નામનો રોગ આવતા પશુઓના પગ પકડાઇ જવા તેમજ મોં માં ફોલ્લા થવા, લાળ પડવી જેવી બીમારી થતાં પશુઓ ખોરાક ખાઈ શકતા નથી. અશક્ત પશુઓ મરણ પથારીએ થઈ જાય છે. દુધાળા પશુઓમાં આ રોગ આવતા પશુપાલકોને મોટું નુકશાન થાય છે. જેને લઇને સત્વરે પશુઓમાં ખરવાના રોગને લઈ રસીકરણ કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે. આ અંગે વાવ પશુ ચિકિત્સક જી.બી. જોષીએ જણાવ્યું હતું કે ‘પશુઓમાં ખરવા રોગના લક્ષણો જોવા મળે તો સરકારી પશુ દવાખાને જાણ કરી દવા કરાવો. બીજા પશુઓથી ખરવા રોગવાળા પશુને અલગ રાખો તેને ગરમ નશેકુ પાણી પાઓ. રસીકરણ થાય ત્યારે રસીકરણ કરાવો, કોઈ પશુ રસીકરણથી બાકી ન રહે તેની કાળજી રાખો.
Tags Banaskantha Deesa Dhanera diyodar vav