![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/05-5.jpg)
હિંમતનગરના કાંકરોલ પાસે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ગાયનું મોત
હિંમતનગરમાં ગતરાત્રીના સમયે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ જીવદયા પ્રેમી ટીમને જાણ થતા સ્થળ પર પહોંચીને જેસીબીથી ખાડો ખોદીને અંતિમવિધિ કરી હતી.આ અંગેની વિગત એવી છે કે, આઠ દિવસ પહેલા હિંમતનગરથી ઇડર રોડ પર ધાણધા પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારી હતી. જેની સારવાર કરાવી હતી, પરતું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેની અંતિમવિધિ જીવદયા પ્રેમી ટીમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સાત દિવસ બાદ બુધવારે રાત્રીના સમયે હિંમતનગરથી શામળાજી નેશનલ હાઈવે પર કાંકરોલ પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા અકસ્માત થયો હોવાનો કોલ હિંમતનગરના જીવદયા પ્રેમી ટીમના દિપક સુથારને કોલ આવતા દિપકભાઈ તેમજ તેમજ સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થાના રાજુભાઈ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.
જીવદયા પ્રેમીઓ દ્વારા મહેન્દ્રસિંહને કોલ કરતા તેઓએ પોતાની જે.સી.બી બોલાવી ખાડો ખોદાવી અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. આ કામગીરી દિપક સુથાર, મિતુલ વ્યાસ, રાજુભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ જીવદયા પ્રેમીને કાંકરોલ ગામ પાસે આવેલ હનુમાનજી મંદિરમાં રહેતા નાગેશગીરી મહારાજ સરાહના કરવામાં આવી હતી