મેઘરજ નગરમાં મહિલા પર વાનરનો આતંક : બંને પગે બચકા ભરી લોહીલુહાણ કરી

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ નગરના ઘાંચીવાડામાં આવેલ જુમ્મા મસ્જિદ પાસે નૂરજહાં બાકરોલીયા પોતાના ઘર આગળ બેઠા હતા. એવામાં એકાએક વાનરે કૂદીને મહિલા પર હુમલો કર્યો અને મહિલાને પાડી દીધા હતા. આસપાસના લોકો બચાવમાં આવે એ પહેલાં વાનરે મહિલાના બંને પગે બચકા ભરીને લોહી લુહાણ કર્યા હતા.

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તબીબે બંને પગે 36 ટાંકા લીધા હતા. આમ જિલ્લામાં અનેક સ્થળો પર વાનરનો આતંક વધતો ગયો છે. ત્યારે વન વિભાગ સતર્ક બને અને વાનરોને પાંજરે પૂરે એવી સ્થાનિક રહીશોની માગ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.