AAP ધારાસભ્ય ચૈત્રર વસાવાની પત્ની જેલમાંથી થઇ મુક્ત, વનકર્મીઓ પર હુમલો અને ફાયરિંગના કેસમાં થઈ હતી ધરપકડ
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈત્રર વસાવા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ પછી, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ત્રણને પણ જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શકુંતલાએ જેલમાંથી બહાર આવતાની સાથે જ કહ્યું કે નકલી કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. હવે આગામી લોકસભા ચૂંટણીમાં જીત તેમની પ્રાથમિકતા રહેશે.
વનકર્મીઓ પર મારપીટ અને ગોળીબારના કેસમાં ધારાસભ્ય, તેમની પત્ની અને અંગત સહાયક સહિત અડધો ડઝન લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જ્યારે ચૈત્રર જેલમાં હતા ત્યારે ગુજરાત આવીને આ જાહેરાત કરી હતી. વસાવા અને શકુંતલા ત્રણ મહિનાથી વધુ જેલમાં રહ્યા.
નોંધનીય છે કે નવેમ્બર 2023માં ચૈત્રર વસાવા અને તેની પત્ની વિરુદ્ધ રાજપીપળામાં વનકર્મીઓ પર હુમલો અને ફાયરિંગ કરવા બદલ FIR નોંધવામાં આવી હતી. પત્ની શકુંતલાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી, પરંતુ વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. 14 ડિસેમ્બરે વસાવા તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું.