ડીસાના ખરડોસણ ગામે અંબાપુર આઇ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ખરડોસણ ગામે સમસ્ત મારવાડી લોહાણા સમાજ સંચાલિત શ્રી આઈજીજી સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી અંબાપુર આઇ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં લોકોએ માયાભાઈ આહીર પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો.


ડીસા તાલુકાના ખડોસણ ગામે શ્રી અંબાપુર આઈ માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીદિવસીય આ મહોત્સવમાં અનેક કાર્યક્રમો યોજનાર છે. જેમાં ગઈકાલે ભવ્ય શોભાયાત્રા બાદ મોડી રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોકગાયક માયાભાઈ આહીર અને તેમની ટીમે મોડી રાત સુધી ભક્તિની રમઝટ બોલાવી હતી.લોક ડાયરા માટે પ્રખ્યાત માયાભાઈ આહીરના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ડાયરામાં આવેલા આ પૈસાથી મંદિરનો વિકાસ કરવામાં આવશે અને ધાર્મિક કામ અર્થે વાપરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.