વઢીયાર પંથકની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

પાટણ
પાટણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિભૅર ભારતની વિભાવનાને ચરિતાર્થ કરવા પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલા પ્રસિદ્ધ જૈન તિથૅ શંખેશ્વર ખાતે કાર્યરત શ્રી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કટિબદ્ધતા સાથે કાર્ય કરી વિસ્તારની જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને સિવણ,બ્યુટી પાલૅર અને કોમ્પ્યુટરશિક્ષણ ની તાલિમ આપી આત્મ નિભૅર બનાવવાની દિશામાં કાયૅ કરી રહ્યા છે.શંખેશ્વર ખાતે કાર્યરત શ્રી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી સંચાલિકા જીજ્ઞાબેન શેઠ દ્વારા શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વઢીયાર પંથકની બહેનોને આત્મ નિર્ભર બનાવવા શરૂ કરવામાં આવેલ સીવણ ની તાલીમ મા પંથકની અનેક બહેનોજોડાઈ આત્મ નિર્ભર બની પોતાના પરિવારજનોને આથિર્ક રીતે મદદરૂપ બની રહી છે.


સિવણની તાલીમ પૂણૅ કરનાર બહેનોને આત્મનિર્ભર બનાવવાનાં આશયથી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી આદિજિંન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શંખેશ્વર તથા આજુબાજુની બહેનોને સીવણ મશીન નિશુલ્ક અપૅણ કરી બહેનોને આત્મ નિર્ભર બનાવવાની વિભાવનાને ચરિતાર્થ કરતાં સીવણની તાલીમ મેળવી આત્મ નિર્ભર બનેલી બહેનોએ જિજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.