![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/EARTHQUACK-5.png)
ચીનમાં આવેલા ભૂકંપની અસર રાજધાની દિલ્હીમાં, લોકો ઘર છોડી બહાર દોડી આવ્યા
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ આંચકા રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ અનેક લોકો ઘરની બહાર આવી ગયા હતા.
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ચીનના દક્ષિણી શિનજિયાંગમાં રાત્રે 11.39 કલાકે રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકાની અસર ભારત પર પડી છે. હાલમાં આ આંચકાઓને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
Tags earthquack india Rakhewal