![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/માંસ-મટનની-દુકાનો-બંધ-રાખવામાં.jpg)
માંસ-મટનની દુકાનો બંધ રાખવામાં આવે તે માટે સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન ઠાકરે લેખિત રજૂઆત
અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે સિદ્ધપુરમાં આગામી 22 જાન્યુઆરીના દિવસે શહેરની તમામ માંસ-મટનની દુકાનો બંધ રાખવામાં આવે તે માટે સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન ઠાકરે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
આગામી 22 મી જાન્યુઆરીએ દેશના અયોધ્યા ખાતે પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. જેથી સમગ્ર દેશ રામમય બન્યો છે જેને લઈ સિદ્ધપુરમાં પ્રભુ શ્રીરામનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સિદ્ધપુરમાં આગામી તા.22 મી જાન્યુઆરીના દિવસે શહેરની તમામ માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવામાં આવી તેવી સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન ઠાકરે પ્રાંત અધિકારી સંકેત પટેલને લેખિત રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સિદ્ધપુર શહેર વર્ષોથી કોમી એખલાસના ભાવ સાથે ઉત્સવમાં જોડાઈ રહ્યું છે અને આ ઉત્સવમાં વધારો થાય તે માટે તારીખ 22 મી જાન્યુઆરીના દિવસે શહેરની તમામ માંસ મટનનુ વેચાણ કરતી દુકાનો બંધ રહે તેવી વિનંતી સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી યોગ્ય દિશામાં કાર્યવાહી થાય તે માંગ કરી છે.