હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ 22 જાન્યુઆરીના રોજ બંધ રહેશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ 22 જાન્યુઆરીના રોજ બંધ રહેશે. જેને લઈને માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોની જાણકારી માટે અનાજના ભાવ સાથે સૂચના સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, 22મી જાન્યુઆરીના રોજ સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જેની ઉજવણી દેશભરમાં થવાની છે ત્યારે હિંમતનગરમાં માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ પણ 22મી જાન્યુઆરીના રોજ બંધ રહેશે. જેને લઈને ખેડૂતોએ પોતાની ખેત પેદાશ લઈને વેચવા આવવું નહિ જેને લઈને ખરીદ અને વેચાણ બંધ રહેશે. ખેડૂતોને આ જાણકારી આપતો મેસેજ માર્કેટયાર્ડના અનાજના ભાવ સાથે સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

આમ હવે ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવમાં માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડૂતો પણ સહભાગી થશે. પોતાના ગામમાં મંદિરોમાં ઉજવણીમાં ભાગ લેશે જાહેર સુચના સાથે સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વેપારીભાઈઓ તરફથી માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં ખેત પેદાશનું ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે. તેથી ખેડૂતોએ ખેત પેદાશ વેચાણ સારું નહિ લાવવા જાણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.