પાટણ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ માર્કેટયાર્ડમાં 330 દુકાનો ભગવા રંગે રંગાશે
આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર ભારતભર ના લોકો ભગવાન શ્રીરામ મય બન્યા છે. ત્યારે અયોધ્યા ખાતે આયોજિત ઉત્સવમાં પાટણ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ પણ સહભાગી બનવા અધીરા બન્યાં છે અને તમામ વેપારીઓએ પોતાની દુકાનો ભગવા રંગે રંગવાની મંગળવારે હનુમાનજી ના પવિત્ર દિવસથી કામગીરી શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં તમામ દુકાનો એક જ ભગવા રંગે રંગાયેલી જોવા મળશે અયોધ્યા માં ભગવાન રામચંદ્ર ના પ્રતિષ્ઠા મહોત્સવ ને પગલે વિવિધ ધાર્મિક સ્થળોએ ધાર્મિક પ્રસંગો નું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાટણ માર્કેટ યાર્ડમાં તમામ દુકાનો ભગવા રંગે રંગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ વેપારીઓ સાથે મીટીંગ કરી હતી જેમાં વેપારીઓએ સંમતિ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ દુકાનો એક જ રંગની દેખાય તે માટે માકેટયાડૅ ની 330 જેટલી દુકાનો ના આગળનો ભાગ કેસરિયા કલર થી રંગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને રંગ રોગન નું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ પ્રતિષ્ઠા મહોત્સવ સુધીમાં માર્કેટયાર્ડની તમામ દુકાનો એક જ ભગવા રંગ થી રંગાઈ જશે.
Tags Banaskantha patan Siddhpur ગુજરાત