જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ખદલપુર ગામે મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલા યુવકે રસ્તા બાબતે ઝઘડો કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ યુવકને ગડદાપાટુ તેમજ લોખંડની પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા તાલુકાના નાનીદઉં રેલવેપુરામાં રહેતો વાઘેલા રણજીતસિંહ છત્રસિંહ ગત તારીખ 13/01/2024ના રોજ વિસનગર તાલુકાના ખદલપુર ગામે મામા ઠાકોર ધોરાજી કેશાજીના ઘરે ઉત્તરાયણ કરવા આવ્યો હતો. જે ગત તારીખ 15/01/2024ના રોજ સવારે પતંગ ચગાવતો હતો. તે દરમિયાન ખદલપુર ગામના ઠાકોર અશ્વિનજી બબાજી, ઠાકોર જયદીપજી બેચરજી અને ઠાકોર અલ્પેશજી ગાંડાજી આવી રણજીતસિંહના બીજા મામાના દીકરા કનુજી જેણાજી સાથે રસ્તા બાબતે બોલાચાલી કરતા હોવાથી રણજીતે ઝઘડો કરવાની ના પાડતા ત્રણેય એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી લોખંડની પાઇપ માથાના ભાગે કાનની જમણી બાજુએ મારી હતી. જ્યાં રણજીતે બુમાબુમ કરતા હોબાળો મચી જતા આજુબાજુમાંથી લોકો દોડી આવી મારમાંથી છોડાવ્યો હતો. જેથી આ બનાવ અંગે રણજીતે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ઠાકોર અશ્વિનજી બબાજી, ઠાકોર જયદીપજી બેચરજી અને ઠાકોર અલ્પેશજી ગાંડાજી વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.