ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો તાંત્રિક વિધિની શંકાએ ત્રણ-ત્રણ હત્યા થઈ

ગુજરાત
ગુજરાત

અમરેલીના લાલાવદર ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી ત્રણ દિવસ પહેલાં ભાઈ-ભાભી અને બહેનના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલાની તપાસમાં ત્રણેયની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. ચાર શખસે રાત્રિના સમયે મળી ત્રણેય લોકોને ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી અને બાદમાં ત્રણેયના મૃતદેહ કૂવામાં ફેંકી દીધા હતા. આ મામલાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ ને ઝડપી પાડ્યા છે. મૃતક દંપતીએ તાંત્રિક વિધિ કરી હોવાની શંકા રાખી આરોપીઓએ ટ્રિપલ મર્ડરને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આરોપી 10 તારીખે રાત્રિના મુકેશ અને તેની પત્ની જે ઓરડીમાં સૂતાં હતાં ત્યાં આવ્યા હતા. રાત્રિના સમયે મેરસિંહ ઓરડીની બહાર ધ્યાન રાખવા માટે ઊભો રહ્યો હતો, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ઓરડીમાં ગયા હતા. ઓરડીમાં રહેલા મુકેશ, ભૂરી અને જાનુને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ ત્રણેયના મૃતદેહોને ગોદડાની જોળી બનાવી કૂવામાં ફેંકી દીધા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ભૂરા મોહને પોતાની દીકરીના મોત માટે મુકેશ અને તેની પત્ની જવાબદાર હોવાનો વહેમ હતો, જેથી ભૂરા મોહને મુકેશ અને તેની પત્ની ભૂરીની હત્યા કરવાનો જ પ્લાન બનાવ્યો હતો, પરંતુ રાત્રિના સમયે આરોપીઓ જ્યારે આ બંનેની હત્યા કરવા આવ્યા ત્યારે ત્યાં મુકેશની બહેન જાનુ પણ હાજર હતી. જે તમામ આરોપીઓને ઓળખી ગઈ હોવાના કારણે આરોપીઓએ તેને પણ મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.