કેનાલમાં અવાર નવાર ભંગાણ થવાની ઘટનાથી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર : સાંતલપુર પંથકમાં આવેલ નમૅદાની કેનાલમાં અવાર નવાર ભંગાણ થવાની ઘટનાથી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. ત્યારે વાસી ઉતરાયણ ના દિવસે જાખોત્રા ડિસ્ટ્રીબ્યુટ ની કેનાલમાં ભંગાણ સજૉતા પાણી આજુબાજુના ખેડૂતો ના ખેતરમાં ધુસતા ખેડૂતો ના પાકને નુકસાન થવાની સાથે પારાવાર મુશ્કેલીઓ ઉભી થવા પામી હતી.

છેલ્લા 2 મહિનામાં આ કેનાલ 10 મી વખત તૂટી છે જેના કારણે કેનાલ આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ના મોધા મુલા પાકોને નુકસાન થયું છે. અવાર નવાર કેનાલ તૂટવાની ધટના તંત્ર સમક્ષ રજૂ કરવા છતાં તંત્ર દ્વારા કેનાલ નું સુવ્યવસ્થિત સમારકામ કરવામાં આવતું નથી કે ખેડૂતો ના નુકશાન નું વળતર પણ ચુકવવામાં આવતું નથી. જો ખેડૂતો ના હિતમાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહિ આવે તો ના છુટકે ખેડૂતો એ ગાધી ચિધ્યા માગૅ પર આદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ખેડૂતો એ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.