ઉતરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય

મહેસાણા
મહેસાણા

મકરસંક્રાંતિએ પુણ્ય દાનનો અનોખો મહિમા હોય છે. લાખો લોકો રોકડ રકમ તેમજ પશુઓને ઘાસચારો તેમજ કૂતરાઓને લાડુ તેમજ ગરીબોને તલના લાડુ તેમજ કપડાનું દાન ગરીબોને કરતા હોય છે.

મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યાં છે અને ધાબા ઉપર ‘એ કાપ્યો છે’ના અવાજો ગુંજી રહ્યાં છે. લોકો પોતાની મસ્તીની અંદર પતંગ ચગાવી રહ્યા છે. તેમજ અનેક જગ્યાએ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે દાન પુણ્યના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. જે અનુસંધાને કડી તાલુકાના કાસવા ગામે છેલ્લા 25 વર્ષથી ચાલતી દાનની પ્રણાલી આ વર્ષે પણ જળવાઈ રહી હતી. કડી તાલુકાના કાસવા ગામે ગ્રામજનો દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે કડી પાંજરાપોળ ખાતે 29 ટેક્ટર ભરીને પશુઓ માટે પુળા અને ઘાસચારાનું દાન કર્યું હતું. મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ગામની અંદર છેલ્લા 25 વર્ષથી પ્રણાલી ચાલી રહી છે. ઉત્તરાયણ તહેવાર અને થોડાક દિવસો બાકી હોય જે દરમિયાન ગ્રામજનો દ્વારા અલગ અલગ દરેક જ્ઞાતિના લોકો પુળા એકત્ર કરે છે અને ઉતરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.