પાટણના જંગરાલ જીઈબી અને જેટકો દ્રારા ઉતરાયણ પવૅને લઇ જાગૃતિ રેલી યોજાઈ

પાટણ
પાટણ

ઉતરાયણના પવૅ ની મજા સજા ન બને અને લોકો સુરક્ષિત રીતે પતંગો ઉડાડવાની મજા માણે તેવા ઉદેશ સાથે પાટણના જંગરાલ જીઈબી અને 220 કેવી જેટકો જંગરાલના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને ચાઈનીઝ દોરી ના વાપરવા માટે અને ઈલેક્ટ્રિક વિજ લાઇન નજીક પતંગ ન ચગાવવા તેમજ વિજ લાઈન ઉપર ફસાયેલા પતંગો ના ઉતારવા માટેની સૂચનાઓ સાથે લોક જાગૃતિ રેલી નું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું.


આ જાગૃતિ રેલી મા જેટકો ના નાયબ ઇજનેર આર.ડી.પ્રજાપતિ,જે.ઈ.એચ ડીપટેલ,વી.એમ. પટેલ,બી.એન.ત્રિવેદી,એસ.વી.પંચાલ સહિત સમગ્ર સ્ટાફગણ સાથે શાળાના બાળકો અને ગ્રામજનો જોડાયા હતા. જાગૃતિ રેલી દરમિયાન જીઈબી પરિવાર દ્વારા બાળકો ને સ્વાસ્થ્ય વધૅક ગોળ માથી બનાવેલ રેવડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.