પાટણવાસી જલેબી, ફાફડા અને ઊંધીયાની જયાફત માણસે

પાટણ
પાટણ

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાણ પર્વ માં પતંગ દોરી ચકાવવાનો મહિમા દિવસેને દિવસે વધતો જાય છે .ત્યારે ઉતરાયણ પર્વમાં પતંગ દોરી ના પેચ લડાવવાની સાથે સાથે પતંગ રસિયાઓ જલેબી, ફાફડા અને ઊંધીયાની જયાફત પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક માણતા હોય છે .જેને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા,જલેબી અને ઊંધીયાના સ્ટૉલ ગોઠવાઈ જાય છે.અત્યારે ચાલુ વર્ષે ઘી, તેલ જેવી સામગ્રીના ભાવ વધવાના કારણે જલેબીના ભાવમાં રૂપિયા 20 થી લઈને 100 રૂપિયા જેટલો ભાવ વધારો થવાની શકયતાઓ વર્તાયેલી છે. આ વર્ષે 400 થી 480 નો ભાવ રહેવાની શક્યતા છે .જેથી એક કિલો ની જલેબી ના ભાવ માં 60 રૂપિયા જેટલો ભાવ વધારો રહી શકે છે. તો તેલ ની જલેબી ગત વર્ષ એક કિલો ના રૂ 180 હતા . તેની સામે ચાલુ વર્ષે 200 થી 240 ના ભાવ રહેશે .આમ એક કિલો તેલ ની જલેબીમાં 20 થી 40 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ શકે છે.તો ફાફડા એક કિલો 400 થી 440 નો ભાવ રહેશે અને ઊધિયું એક કિલો ના 220 થી 240 જેટલો ભાવ રહેશે.તેમ વેપારી દિલીપ ભાઈ સુખડીયા અને મનુ ભાઈ ઠાકોરે જણાવ્યું હતું.


દિલીપ ભાઈ સુખડીયા અને આનંદ ગૃહ ના પ્રણાવરામી એ જણાવ્યું હતું કે ઉત્તરાયણ ના એકજ દિવસ માં પાટણ વાસીઓ અંદાજે 4 થી 5 હજાર કિલો ઊંધિયું અને 1000 થી 1500 કિલો જલેબી એમ લાખો રૂપિયા ના ફાફડા જલેબી અને ઊંધિયું ઝાપટી જશે તેમ જણાવ્યું હતું.ત્યારે હાલ માં ઊંધિયું માટે શાકભાજી સમારકામ સહિત જલેબી અને ફાફડા બનાવવા ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.