કમૂર્તા બાદ વાઘોડિયાના ધારાસભ્ય આપશે રાજીનામું
રાજયમાં 16મી જાન્યુઆરીએ વધું એક અપક્ષનાં ધારાસભ્ય રાજીનામું આપશે. વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય કમુર્તા બાદ રાજીનામું આપશે. 3 અપક્ષ ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય 16મી જાન્યુઆરીએ રાજીનામુ આપશે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપશે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા 16મી એ રાજીનામુ આપી ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહનાં રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થઈ જશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2022 માં વડોદરા વાઘોડિયા બેઠકમાં અપક્ષમાંથી વિધાનસભા ચુંટણી જીત્યાં હતાં. તેઓ 16 જાન્યુઆરીએ રાજીનામું આપી ભાજપમાં જોડાશે.