અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલ રહસ્યમય હુમલાનો ભેદ ઉકેલાયો

ગુજરાત
ગુજરાત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના દિવસે એક હુમલાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે સાત જેટલા લોકોની ધરપકડ કરી છે. આ હુમલો કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને શા માટે હુમલો થયો છે. તેની જાણ ખુદ ભોગ બનનાર ફરિયાદીને પણ હતી નહીં, જેથી આ હુમલાનો ભેદ ઉકેલવો પોલીસ માટે ખૂબ જ અઘરો હતો, પરંતુ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જે ખુલાસાઓ થયા તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અમદાવાદ શહેરમાં છાસવારે જાણે કે હુમલાઓ થવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગત 22 ડિસેમ્બરના દિવસે સાબરમતી વિસ્તારમાં ચેનપુર રેલવે ટ્રેક પાસે વિરલ ગોસ્વામી નામના વ્યક્તિ પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. વિરલ ગોસ્વામી જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા, ત્યારે એકટીવા પર આવેલા ત્રણ અજાણ્યા લોકોએ વિરલ ગોસ્વામીને રોકી તેને માર માર્યો હતો, વિરલ ગોસ્વામીને ઈંટો વડે પણ માર મારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ અજાણ્યા લોકોએ વિરલ ગોસ્વામીની કારમાં બેસી કાર દોડાવીને ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, માર માર્યા બાદ વિરલ ગોસ્વામીનો મોબાઇલ પણ લૂંટી આ ત્રણેય લોકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિરલ ગોસ્વામીએ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ જગ્યાએથી પોલીસે સાત જેટલા આરોપીની ધરપકડ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.