શંખેશ્વરના તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

પાટણ
પાટણ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખ કરતા વધારે મતથી જીતવા માટે આહવાન કરાયુ છે. પાટણ લોકસભા પાંચ લાખ કરતા પણ વધારે મતોથી જીતવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરો કામે લાગ્યા છે.

પાટણ લોકસભા જંગી બહુમતીથી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો કામગીરીમાં લાગી ગયા છે. કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વના આદેશાનુસાર વિવિધ હોદેદારોને જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે ત્યારે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલની ઉપસ્થિતિમાં શંખેશ્વર તાલુકાના સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વિવિધ પક્ષના લોકોને જોડવાની જવાબદારી પાટણ જિલ્લા ખાતે ઇન્ચાર્જ તરીકે સ્નેહલ પટેલને સોંપવામાં આવી છે.તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ભરતસિંહ લક્ષ્મણજી વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ભલાભાઇ કટારીયા મહામંત્રી વસંતગીરી બાપુ, શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ મેરાજી ઠાકોર મોટીચંદુર પૂર્વ સરપંચ શિવુજી વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.