ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ, ફાયરિંગમાં કોઈ જાનહાનિ નહી
અમદાવાદમાં ચાંદખેડાનાં તપોવન સર્કલ નજીક ફાયરિંગનો બનાવ બન્યો છે. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં સામે આવી છે. જો કે ફાયરિંગમાં જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર જમીન લે વેચનો વ્યવસાય કરતો હરિસિંગ ચંપાવત નામનાં વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફાયરિંગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. રસ્તા પર લારી- ગલ્લાવાળાઓ વચ્ચે આવતાં હોવાનાં કારણે ફાયરિંગ કર્યું હતું. જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરીને આરોંપી ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.