![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/36-1.jpg)
પ્રાંતિજ કોલેજ ખાતે ત્રિદિવસીય નાટ્ય શિબિર પૂર્ણ થઇ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા શ્રીમતી મંગળાબેન ચુનીલાલ દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં જુદી-જુદી કોલેજમાંથી 60 જેટલા વિધાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતો.પ્રાંતિજના કમાલપુર કોલેજ ખાતે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તથા પ્રાંતિજની શ્રીમતી મંગળાબેન ચુનીલાલ દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ત્રિદિવસીય નાટ્ય શિબિરમા જુદી-જુદી કોલેજોમાંથી 60 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જુદાજુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું. તો ત્રિદિવસીય કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન કોલેજ ખાતે મનોરંજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાટક, એકપાત્ર અભિનય, રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પૂર્વ કુલપતિ પ્રો. કે.એસ.શાસ્ત્રી, જાણીતા નાટ્યકાર ડો.સતીશ વ્યાસ ,લોક ગાયિકા કિંજલ દવે, ફિલ્મ ડિરેક્ટર નિરંજન શર્મા, ભુમેશભાઇ પરીખ કોલેજના પ્રિન્સીપાલ ડો. કામેશ્વર .આર.પ્રસાદ, પ્રોફેસર સુરેશભાઇ પટેલ, રાજેન્દ્ર.એ.પંચાલ, ડો.સતીષભાઇ પટેલ , રાજેન્દ્ર આઇ.ઓઝા સહિત કોલેજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.