ઊંઝાના ભુણાવ અને જગનાથપુરા વચ્ચે ઝાડ ઉગી નીકળતા વાહનચાલકો પરેશાન

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ભુણાવ અને જગનાથપુરા વચ્ચે આવેલા એપ્રોચ રોડ ઉપર બાવળ અને અલગ અલગ ઝાડ સાઈડ ઉપર ઉગી નીકળવાથી વાહનચાલકો પરેશાન થયા અને તંત્ર તાત્કાલિક પગલાં લે એવી માગ ઉઠી છે.ઊંઝા તાલુકાના ભુણાવ અને જગનાથપુરા વચ્ચે વર્ષ 2018/19માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. આ એપ્રોચ રોડની સાઈડો ઉપર એટલી બધી ઝાડી તેમજ બાવળ ઉગી નીકળ્યા છે કે આવતા જતા વાહનચાલકોને સાઈડ લેવામાં તકલીફો પડી રહી છે. તેમજ એપ્રોચ રોડ ઉપર વાહનચાલકોને અકસ્માત થવાથી ભીતિ સર્જાઈ છે. વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને કોઈ અકસ્માત સર્જાસે તો કોણ જવાબદાર રહશે તેવી લોકોમાં ચર્ચા જાગી છે.


ઉલ્લેખનીય છે કે, ઊંઝા તાલુકાના ભુણાવ અને જગનાથપુરા વચ્ચે જે એપ્રોચ રોડ બનાવ્યો છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા સમારકામ તેમજ રોડ ઉપર થતી ઝાડી સાફ સફાઈ કરવામાં આવી નથી. આ બાબતે તંત્ર જવાબદાર છે કે પછી કોન્ટ્રાક્ટરો, એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. વધુમાં પ્રજાપતિ રમેશભાઈ, પ્રજાપતિ અલ્પેશભાઈ અને ચૌહાણ પ્રકાશભાઈ સહિત ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિક ખેડૂતો છીએ અને અમારે રોજેરોજ ટ્રેક્ટર લઈને આવવાનું થાય છે. જેને કારણે સામે આવતા વાહનો દેખાતા નથી અને અચાનક સામે કોઈ વાહન આવી જાય તો સાઈડ પણ લઇ શકતા નથી. જેના કારણે અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. તાત્કાલિક રોડની આસપાસ બાવળ તેમજ અન્ય બીજી ઝાડી ઉગી નીકળી છે એ સાફ કરવામાં આવે એવી માગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.