ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ સેન્ટ્રલ સોલ્ટની હોસ્ટેલમાં યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ગુજરાત
ગુજરાત

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સેન્ટ્રલ સોલ્ટની હોસ્ટેલમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઇ હતી, આ ઘટના ના પગલે પોલીસ કાફલો હોસ્ટેલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સર્કિટ હાઉસ પાસે આવેલ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની હોસ્ટેલની રૂમમાં આશેર 27 વર્ષીય મૂળ મધ્યપ્રદેશના વતની અનુરાગ ગણેશભાઈ તિવારીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવાન ચાર દિવસ પહેલા જ સેન્ટ્રલ સોલ્ટમાં પી.એચ.ડી. કરવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. યુવકનું આકસ્મિક અવસાન થતાં હોસ્ટેલમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ બનાવની જાણ થતાં મૃતકના સંબંધીઓને કરતા ભાવનગર આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું, આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.