બનાસ ડેરીના ચેરમેને કરી અનોખી જાહેરાત, બનાસકાંઠાનાં પશુપાલકોને 0%નાં વ્યાજે અપાશે ક્રેડિટ કાર્ડ

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠાનાં પશુપાલકોને બનાસડેરી દ્વારા નવાં વર્ષની અનોખી ભેટ મળી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ અનોખી જાહેરાત કરી છે. જેનાથી પશુપાલકો રાજીના રેડ થઈ ગયાં છે.

બનાસડેરીએ દૂધ ભરાવતા પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રેડીટ કાર્ડ 50 હજારની લિમિટ સાથે 0% નાં વ્યાજે 15 જાન્યુઆરીએ અમિત શાહનાં હસ્તે આપવામાં આવશે. 15 જાન્યુઆરીથી પશુ પાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરાશે.

આ અંગેની જાહેરાત શંકર ચૌધરીએ થરાદના મુલપુર ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં કરી હતી. 15 જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે અમિત શાહના હસ્તે ક્રેડીટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

RAKHEWALની એપ ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો:

https://play.google.com/store/apps/details?id=com.app.rakheval


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.