ઊંઝા સત્તાવિસ કડવા પાટીદાર સમાજ જાગૃત મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા સત્તાવીસ કડવા પાટીદાર સમાજ જાગૃત મંડળ ઊંઝાના 25 વર્ષ પૂર્ણ થતા આજરોજ રજત જયંતી મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઊંઝા સત્તાવિસ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ સહીત મહાનુભાવો હાજર રહ્યા હતા. આવેલા મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.


વધુમાં ઊંઝા કેશવ માધવ સ્મૃતિ સમિતિ આયોજિત શિશુમંદિર ઊંઝા ખાતે નારાયણી સંગમ સંમેલન યોજાયું હતું. જે પ્રસંગે ઊંઝા ધારાસભ્ય કે.કે પટેલ, ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી તરીકે સંબોધવામાં આવે છે. તે જ તેમનું સન્માન છે. જે ઘરમાં નારીનું માન સન્માન સાથે આદર થાય છે ત્યાં હંમેશા લક્ષ્મી વસે છે અને પરિવાર હંમેશા સુખી સંપન્ન રહે છે. આ માત્ર નારાયણી જ નહીં પણ દેવી શક્તિનો સંગમ છે. મહિલાઓ પરિવાર અને સમાજનું કેન્દ્રબિંદુ છે. ઊંઝા નારાયણી સંગમ સંમેલનમાં ઊંઝા શહેરમાંથી મહિલાઓને ઉપસ્થિત રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.