થરાદ- ડીસા હાઇવે અકસ્માતમાં મૃત્યુ થતાં ઉઝાના વેપારી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મહેસાણા
મહેસાણા

થરાદ- ડીસા હાઇવે પર ગઇકાલે થયેલ અક્સ્માતમાં મૃત્યુ પામેલ ઊંઝા ગંજબજારના વેપારી સહિત પરિવારજનોનું થયેલ મોત સંદર્ભે ઊંઝા ગંજબજારના વેપારીઓ દ્વારા બે મિનિટ મૌન પાળી શોકાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ વિસનગર રોડના વેપારીઓએ દ્રારા વેપાર ધંધા બંધ રાખી સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.

ઊંઝા શહેરમાં રહેતા અને ગંજબજારમાં કેશર ભવાની નામની પેઢી અને વિસનગર રોડ પર ભગવતી હોટલ ધરાવતા મૂળ વાવ તાલુકાના ડાભલિયા ગામના ભૂરાભાઈ જોષી પોતાના પરિવાર સાથે ગઈકાલે વતન જવા નીકળ્યા હતા. દરિયાન ડપ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો વેપારી ભુરાભાઇ જોષી, પત્ની કકીબેન જોષી, પુત્ર નિતેશ અને પુત્રવધુ ભગવતીબેનનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જેને લઇ ઊંઝા શહેરમાં રહેતા બનાસકાંઠા જિલ્લાના લોકોમાં શોકની કાલિમા છવાઈ છે. આજે ઊંઝા ગંજબજારના વેપારીઓને સવારે કામકાજ પૂર્વે બે મિનિટનું મૌન પાળી શોકાજલી પાઠવામાં આવી હતી. તેમજ વિસનગર રોડ પરના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.