![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/1111111111111.jpg)
પાલનપુરના પ્રખર ધારાશાસ્ત્રી શિરીષ ભાઈ મોદીનું નિધન
પાલનપુર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના પ્રખર ધારાશાસ્ત્રી શિરીષભાઈ મોદીનું આજરોજ દુઃખદ નિધન થતા પાલનપુર એ એક મોભી ગુમાવ્યા છે.
પાલનપુર શહેરની જાણીતા શૈક્ષણિક સંકુલ વિદ્યામંદિર અને બનાસકાંઠા કેળવણી મંડળના પ્રમુખ એવમ કોલેજ ના ટ્રસ્ટી ગુજરાત હાઇકોર્ટના પ્રખર ધારાશાસ્ત્રી શિરીષકુમાર એમ. મોદી અનંતની સફરે ચાલ્યા ગયા છે. પાલનપુરે એક ઉમદા માનવી, સફળ ધારાશાસ્ત્રી, સફળ સંચાલક,
આકર્ષક વ્યક્તિત્વ અને પાલનપુર નગર ના શુભચિંતક ગુમાવતા પાલનપુરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. સ્વ. ની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન મોદીકુંજથી આવતીકાલે સવારે ૧૧.૩૦ નીકળી ગોબરીરોડ સ્થિત જૈન સમાજના અંતિમધામ ખાતે જશે.