કાંકરેજના નાથપુરા નજીક કેનાલમાંથી લાશ મળી આવી
કાંકરેજના નાથપુરા નજીકથી પસાર થતી કેનાલમાં એક મહિલાનો મૃતદેહ દેખાતા તરવૈયાની મદદથી બહાર કાઢી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક મહિલા અમાદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. થરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા પાસેથી પસાર થતી કેનાલમાં એક મહિલાનો મૃતદેહ તરતો નજરે પડ્યો હતો. પોલીસને આ બાબતની જાણ થતા તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલા અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે થરા પીએસઆઈ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલા અમદાવાદથી કાલે નીકળેલા હતા નાથપુરામાં તેમનું મોસાળ આવેલું છે.લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવી છે.