ઊંઝા નગરપાલિકા દ્વારા ઘાયલ પક્ષીઓ તેમજ આગ જેવી આકસ્મિક અઘટિત ઘટનાઓ માટે રેસ્ક્યુ કંટ્રોલરૂમ શરૂ કરાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ તરીકે દીક્ષિત પટેલના નેતૃત્વમાં એક પછી એક શહેરના વિકાસલક્ષી મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે ઉતરાયણ અંગે લેવાયેલ નિર્ણયના સંદર્ભમાં પાલિકા પ્રમુખ દીક્ષિત પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે પતંગ દોરીને કારણે અવાર નવાર આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ ઉપરાંત ફાનસ જેવી ચાઈનીઝ પતંગોને કારણે નાની મોટી આગની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે આવી આકસ્મિક અઘટિત ઘટનાઓ માટે ઊંઝા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ફાયર સહિતની સેવાઓ મળી રહે તે માટે રેસ્ક્યુ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.


ઉત્તર ગુજરાતની એકમાત્ર આઇ.એસ.ઓ.સર્ટિફાઇડ ઊંઝા નગરપાલિકા દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓ તેમજ આગ જેવી આકસ્મિક અઘટિત ઘટનાઓ માટે રેસ્ક્યુ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેમાં ઘાયલ પશુ પંખીઓ માટે વેટેનરી ડોક્ટર અંકિત પટેલે સેવાઓ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત શહેરના મહત્વના બ્રિજ પર તાર બાંધવામાં આવશે. જેથી પતંગના દોરાના કારણે થતા અકસ્માતોથી વાહન ચાલકો બચી શકે. જેમાં ઘાયલ પક્ષીઓ કે આગજની ઘટનાઓ માટે કોઈપણ વ્યક્તિ 101 નંબર પર ફોન કરીને જણાવી શકે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.