રાધનપુરની પ્રેમનગર શાળામાં અસુવિધા મામલે રજૂઆતો કરાયા બાદ પણ દૂર ન કરાતા વાલીઓમાં રોષ

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથકની પ્રેમનગરની શાળામાં પુરતી સુવિધાઓના અભાવના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનો દ્વારા મહિલા આચાર્યની બદલીની માગ કરવામાં આવી છે.આ બાબતે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર પંથક માં આવેલી પ્રેમનગર ની શાળામાં છેલ્લા આઠ નવ વષૅથી શાળાના ઉતારી લીધેલા ઓરડાઓ, ત્રણ ત્રણ કિલોમીટર દુરથી આવતાં વિધાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, શાળા દ્વારા વર્ષ દરમિયાન એક પણ સાંસ્કૃતિક પ્રવાસના આયોજનો નહીં કરવાના તેમજ મહિલા આચાર્ય તેઓની રજૂઆત ન સાંભળતા હોવાનું જણાવ્યું હતું,વિદ્યાર્થીઓને પડતી અગવડ મામલે અનેકવાર રજૂઆતો કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થીઓને સાથી રાખી વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.


આ મામલે રાધનપુર ટીપીઈઓ હરખાભાઈ નાડોદાને જાણ કરાતા તેઓએ તાત્કાલિક પ્રેમનગર શાળા ખાતે પહોંચી ગ્રામજનોને શાળાના ઓરડા બાબતે ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું જણાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોતાની માંગ સંતોષાય નહિ ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવા અડગ રહેતા ગુરુવારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ તપાસ કરનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.