શક્તિપીઠ અંબાજી મંદિર અને આજુબાજુના મંદિરોમાં સુવિધામાં વધારો : યાત્રાળુઓ માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યભરના યાત્રાધામના વિકાસ થઈ રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરનો પણ વિકાસ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. અંબાજી અને આજુબાજુમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર માં યાત્રિકોને કોઈપણ અગવડતા ન પડે અને સુગમતાથી માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ સુવિધાઓ અને વિકાસને લઈને યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. યાત્રિકો પણ યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટની સુવિધાઓના વખાણ કરી રહ્યા છે. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે.


અંબાજી મંદિર સહિત અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર વિકાસના અનેક કાર્ય કરવામાં આવી રહ્યા છે. યાત્રિકોને 51 શક્તિપીઠ મંદિરના એક જ જગ્યાએ દર્શન કરી શકે તેવા ગબ્બર ખાતે મંદિર 51 શક્તિપીઠના મંદિર આવેલા છે. અંબાજી ગબ્બર પર્વત પર ત્રણ કિલોમીટર લાંબો લોખંડનો શેડ પણ બનાવવામાં આવી રહ્યો છે. જેથી યાત્રિકો દિવસે અને રાત્રે પણ 51 શક્તિપીઠના દર્શન કોઈપણ ભય અને જંગલી જાનવરોના ડર વગર કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ ત્રણ કિલોમીટર લાંબો લોખંડી શેડમાં અદ્ભુત લાઇટિંગ કરવામાં આવશે જેથી યાત્રિકો માતાજીના દર્શનની સાથે સાથે અદભુત રોશનીનો પણ આનંદ લઈ શકશે.અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ અને રીછડીયા મહાદેવ નું પણ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. મંદિરોના ડેવલોપમેન્ટ અને સુવિધાઓને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ કાર્યરત છે. અંબાજીમાં અનેકો વિકાસના કાર્યો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે અને સરકાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અંબાજીમાં કરી રહી છે. તો સાથે સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ અંબાજી અને અંબાજી મંદિરથી લાગતા પેટા મંદિરોમાં પણ વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.