વિરમપુરની કરિયાણાની દુકાનમાંથી પુરવઠા વિભાગે ઘઉઁ, ચોખા અને ખાંડનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા વિરમપુરમાંથી ગરીબોને આપવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો કરિયાણાની દુકાનમાંથી પકડાતા અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે, પુરવઠા વિભાગે ઘઉઁ, ચોખા અને ખાંડનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પુરવઠા વિભાગે કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો ગરીબો સુધી ન પહોંચતા બારોબર સગેવગે થઇ રહ્યાની બુમરાડો ઉઠવા પામી હતી. ફરિયાદો બાદ સરકારે દરેક સંચાલકોને લાભાર્થીને મળતો અનાજનો જથ્થો પુરેપુરો આપવા માટે આદેશ કરેલ છે અને આ દિશામાં તંત્રની ચાંપતી બાઝ નજર પણ રહે છે.ત્યારે અમીરગઢ તાલુકાન અંતરિયાળ વિસ્તાર ગણાતા વિરમપુરમાં કરિયાણાની દુકાનમાં રેશનિંગ નો જથ્થો ખરીદેલ હોવાની જાણ જિલ્લા પુરવઠા દ્વારા અમીરગઢ પુરવઠા વિભાગને કરવામાં આવતા અમીરગઢ પિરવઠા અધિકારી સ્ટાફ સાથે તપાસ કરતા પ્રવીણભાઈ રામદીનભાઈ અગ્રવાલ ની કરિયાણાની દુકાનમાં રેશનિંગના ચોખા ઘઉં અને ખાંડ ના 71 કટ્ટાઓ પડેલ હોઈ રેશનિંગ ના જથ્થાને કબજામાં લઇ પકડાયેલ કુલ મુદ્દામાલ 94911 અમીરગઢ ખાતે આવેલ ગોડાઉનમાં લાવવામાં આવેલ છે. કરિયાણાની દુકાનમાં રેશનીંગનો આટલો મોટા પ્રમાણમાં રેશનિંગનો જથ્થો ક્યાંથી આવ્યો અને ગરીબોના મુખમાંથી સરકારે આપેલ કોળિયો કોણ છીનવી રહ્યું છે તેની પૂર્ણ તપાસ કરી ગુનેગારોને દંડનીય કાર્યવાહી કરવાની માંગ ઉઠેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.