અમદાવાદમાં ઝાડા- ઉલ્ટી, ટાઈફોઈડ, કોલેરાના કેસમાં ઉછાળો

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. 31 ડિસેમ્બરે પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. ઝાડા- ઉલ્ટી, ટાઈફોઈડ, કોલેરાના કેસમાં ઉછાળો જોવાં મળ્યો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો જોવા મળ્યો છે.

શહેરમાં ડેન્ગ્યુના 87, સાદા મેલેરીયાના 48, ઝેરી મેલેરીયાના 20 અને ચિકનગુનિયાનાં બે કેસ નોંધાયા છે. વર્ષનાં છેલ્લાં દીવસે 31 ડિસેમ્બર સુધીમાં ઝાડા-ઊલટીના 464, કમળાના 128, ટાઈફોઈડના 343 કેસ નોંધાયા છે. શહેરમાં 3 વર્ષેની સરખામણીમાં ચાલુ વર્ષે ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.