પાકિસ્તાન વાટાઘાટો માટે આતંકવાદનો ઉપયોગ કરે છે: જયશંકર
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીનને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી છે. પાકિસ્તાન સાથે વાતચીતના મુદ્દે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે.
એસ. જયશંકરે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વાતચીતનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ અમે એવી શરતો પર વાત નહીં કરીએ જ્યાં પાકિસ્તાન આતંકવાદને કાયદેસર માનવાની વકાલત કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે બોલાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.
‘નેહરુ અને પટેલ વચ્ચે ચીન અંગે મતભેદ હતા’
વિદેશ મંત્રીએ ચીન સાથેના સંબંધો અંગે પણ ખુલીને ચર્ચા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ચીનને કેવી રીતે જવાબ આપવો તે મુદ્દે નેહરુ અને સરદાર પટેલ વચ્ચે શરૂઆતથી જ ઊંડો મતભેદ હતો. મોદી સરકારના સમયમાં ચીન સાથે ભારતના સંબંધો પર જયશંકરે કહ્યું કે અમારી સરકાર ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલે શરૂ કરેલી રણનીતિ પ્રમાણે કામ કરી રહી છે.
જયશંકરે કહ્યું કે ભારતે ચીન સાથે એવા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે જે પરસ્પર સંબંધો પર આધારિત હોય. વિદેશ મંત્રીએ ભારત અને ચીન વચ્ચેના પરસ્પર સહયોગને માન્યતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું કે તેના વિના આ સંબંધને આગળ વધવું મુશ્કેલ બનશે.
Tags india JAYSHANKAR Rakhewal