![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/hatya-ar.png)
અરવલ્લીનાં ધનસુરામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા
અરવલ્લીના ધનસુરામાં હૃદય કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. 35 વર્ષનાં નરાધમ પાડોશીએ 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને બાળકીની હત્યાં કરી. 35 વર્ષનાં નરાધમે પાડોશમાં રહેતી 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યાં કરી હતી. હવસખોરે બાળકીની હત્યાં કરીને તેનાં હાથ પગ બાંધીને બાળકીની લાશને પથારીમાં છુપાવી દીધી હતી. 35 વર્ષિય નરાધમ જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર બાળકીનાં પિતાનો મિત્ર છે.
આ ઘટનાં અંગે પોલીસે જણાવ્યું કે આરોપીનાં ઘરમાંથી લોહીથી લથપથ હાલતમાં હાથ પગ બાંધેલી બાળકીની લાશ મળી હતી. આરોપીએ દુષ્કર્મ આચરતાં પહેલાં બાળકીનાં મોં પર કપડું બાંધી દીધું હતું, જેથી બાળકી અવાજ કરે તો કોઈને સંભળાય નહીં. આરોપીએ બાળકીની હત્યાં કરીને લાશને તેનાં ઘરનાં પલંગમાં છુપાવી હતી.
ધનસુરા સબ ઈન્સપેક્ટર એસ.જે.દેસાઇએ જણાવ્યું હતું કે આરોપીએ શનિવારે સાંજે કોઇ બહાને બાળકીને તેના ઘરે બોલાવીને બાળકી પર બળાત્કાર કરી, ગળું દબાવીને હત્યા કરી હતી. બાળકીનાં માતા-પિતાએ તેમની પુત્રી ગુમ હોવાની ફરિયાદ કરી હતી. ગામલોકોએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે ગામલોકોએ આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે તેમને પલંગની નીચે ધાબળામાં વીંટાળેલી બાળકીની લાશ મળી હતી. તેના હાથ-પગ બાંધેલા હતા અને મોઢું કપડાથી ઢાંકેલું હતું. ત્યાર બાદ ગામલોકોએ પકડીને નરાધમને પોલીસને હવાલે કર્યો હતો.