કોરોના અપડેટ: દેશમાં જેએન.1 વેરીએન્ટના અત્યાર સુધીમાં કુલ 162 કેસ
ભારત દેશમાં કોરોના વાયરસનો નવો વેરીએન્ટ જેએન.1ના અત્યાર સુધીમાં કુલ 162 કેસ આવ્યા છે. ત્યારે આવા સમયે યુવાનોએ કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, તેને લઈને નિષ્ણાંતોએ સલાહ આપી છે. જ્યારે કેસની વાત કરવામાં આવે તો કેરલમાં સૌથી વધારે 83 કેસ આ વેરિએન્ટથી સંક્રમિત છે, જ્યારે 34 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે.
આઈએનએસસીઓજીના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ જેએન.1થી સંક્રમણના કેરલમાં 83, ગુજરાતમાં 34, ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડૂમાં 4, તેલંગણામાં 2 અને દિલ્હીમાંથી એક કેસની પુષ્ટિ થઈ ચુકી છે. ડિસેમ્બરમાં દેશમાં 145 સંક્રમિતોના જેએન.1થી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. જ્યારે નવેમ્બરમાં આવા 17 કેસ સામે આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જેએન.1ના ઝડપથી ફેલાતા પ્રસારને જોતા વિશેષ દેખરેખની શ્રેણીમાં નાખ્યા છે. પણ કહેવાયું છે કે, તે વૈશ્વિક લોક સ્વાસ્થ્યને ઓછું જોખમ ઊભું કરશે.