મર્ડર કેસમાં અમદાવાદ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી 14 દિવસના પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો

મહેસાણા
મહેસાણા

અમદાવાદની મધ્યસ્થ જેલમાં મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા કડી તાલુકાના કેદીને પેરોલ પર 14 દિવસની રજા મળતા તે ઘરે આવ્યો હતો.ત્યારબાદ 14 દિવસ વીત્યા છતાં આરોપી જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે મહેસાણા આરોપી થોળ રોડ પર હોવાની બાતમી આધારે મહેસાણા એલસીબી ટીમે આરોપીને ઝડપી ફરી જેલ હવાલે કર્યો હતો.

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા પથોડાં ગામના સિપાઈ આસીક હયાતભાઈ સામે બાવલું પોલીસ મથકમાં મર્ડર અંગે ગુનો નોંધાયો હતો ત્યારબાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં આરોપી સજા ભોગવી રહ્યો હતો.જે આરોપીને 14 દિવસમાં ફ્લો પર રજા મળતા ઘરે આવ્યો હતો.જોકે આરોપી ને 24 ફેબ્રુઆરી 2023 થી 11 માર્ચ 2023 સુધી રજા મળી હતી જોકે રજા પૂર્ણ થયા બાદ પણ આરોપી જેલમાં પરત ન ફરતા ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે મહેસાણા એલસીબી ટીમના પ્રદીપ કુમાર અને જોરાજી ને બાતમી મળી હતી કે આરોપી કડી થોળ રોડ પર નર્મદા કેનાલ ખાતે હાજર હોવાની બાતમી મળતા એલસીબી ટીમ સ્થળ પર આવી આરોપી ને ઝડપી ફરી એકવાર અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.