![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/corona-nnn-8.png)
રાજ્યમાં કોરોનાનાં કુલ 66 કેસ, અમદાવાદમાં 10 નવા કેસ નોંધાયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા 66 છે. અમદાવાદમાં કોરોનાનાં 10 નવા કેસ નોંધાયા છે. વધતાં જતાં કોરોનાનાં કેસથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોરોનાના નવા વેરીએન્ટ jn.1 વાયરસને લઈને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ. તકેદારી રાખવી જરૂરી છે.
રાજ્યમાં jn.1 વાયરસનાં 36 કેસ નોંધાયા છે. જેમાં 22 દર્દીઓ સાજા થયાં છે અને 14 દર્દીઓ હોમ આઈશોલેશન હેઠળ સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં 1લી ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર દરમિયાન કોરોનાનાં 8,426 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 99 કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યારે માત્ર બે કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે કોરોનાના નવા વેરીએન્ટ jn.1 વાયરસને લઈને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ. તકેદારી રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે.