વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં થેલેસેમિયા જાગૃતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સેમિનાર યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર અને રેડ ક્રોસ ગુજરાત રાજ્ય દ્વારા થેલેસેમિયા જાગૃતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થેલેસેમિયાની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વધુમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ સમજ આપવામાં આવી હતી. આ સેમિનારમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના 350થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.


સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર અને રેડ ક્રોસ ગુજરાત રાજ્ય દ્વારા થેલેસેમિયા જાગૃતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને થેલેસેમિયાએ રક્ત વિકૃતીઓનું જૂથ છે. જે માતા પિતા પાસેથી બાળકોમાં જનીન દ્વારા પસાર થાય છે. થેલેસેમિયા માઈનર ધરાવતી વ્યક્તિની શું ધ્યાન રાખવું અને થેલેસેમિયાએ કોઈ રોગ નથી, પરંતુ તેના વિશેની જાગૃતિ બહુ જરૂરી છે. થેલેસેમિયા મેજરની સારવાર માટે આજીવન રક્ત ચઢાવવાની પણ જરૂર પડી શકે છે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે પણ વિદ્યાથીઓને માહિતી કરવામાં આવી હતી. આ કાર્યકમમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી માહિતી મેળવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.