વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં બેડ, ઓક્સીજન અને આઇ.સી.યુ સહિતની વ્યવસ્થા કરાઇ

મહેસાણા
મહેસાણા

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ને લઈને ચિંતા વધી છે. દેશમાં અને ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ સજ્જ કરવામાં આવી છે. જેમાં નૂતન જનરલ હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડ, બેડ, ઓક્સીજન, દવાઓ, આઇ.સી.યુ સહિતની સુવિધા કરવામાં આવી છે. જોકે વિસનગરમાં કોરોનાના નવા વેરીએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.


દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેથી કોરોનાનાં વધતા જતા કેસોને લઈ વિસનગરમાં આવેલ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં હાલમાં વિસનગર તાલુકામાં કોરોનાના નવા વેરીએન્ટનો કેસ જોવા મળ્યો નથી, પરંતુ હોસ્પિટલમાં કેસો આવે તે પહેલાં જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં કોરોનાના વધતા જતા કેસોને લઈ તૈયારીઓ કરી દીધી છે. જેમાં હોસ્પિટલમાં શંકાસ્પદ વોર્ડ, ટેસ્ટીંગ રૂમ, ઇમરજન્સી વોર્ડ, આઇ.સી.યુ, બેડ, ઑક્સિજન, દવાઓ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે હાલમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.