ભિલોડાના કંથારિયાથી વાઘપુર સુધીનો રસ્તો આઝાદી પછી બિસ્માર હાલતમાં

અરવલ્લી
અરવલ્લી

તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા કરવામાં આવે છે પણ હજુ કેટલાય ગામડાઓ એવા છે કે જ્યાં પાકા રસ્તાની પાયાની સુવિધા પહોંચી નથી. ત્યારે ભિલોડાના કંથારિયાથી વાઘપુર-રેલવે ફાટક છેલ્લા 25 વર્ષથી ખખડધજ હાલતમાં છે.રસ્તા માટે આમ તો સરકાર વિવિધ ગ્રાન્ટો ફળવતી હોય છે પણ કેટલીક વાર રસ્તો બનાવવા માટે પુરે પુરી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતથી રસ્તાનું કામ હલકી ગુણવતાવાળુ થાય છે તેવો જ જાગતો પુરાવો છે. ભિલોડાના નાના કંથારીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા લુસડિયાથી વાઘપુર (ભીમ પગલાં ) તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો હાલ ખંડેર હાલતમાં છે. નાના કંથારીયા ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોનો હાલ આક્ષેપ છે કે આલુસડિયાથી વાઘપુર (ભીમ પગલાં) તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બન્યો નથી. બન્યો તે વખતે આ કામ હલકી ગુણવતાવાળુ થયું છે અને આ રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. આ રસ્તાનું સમારકામ પણ હલકી ગુણવતા વાળુ થવાથી વધુ ખંડેર બન્યો છે અને રસ્તાનું સમારકામ પણ સારુ થતું નથી. જેના કારણે હાલ આ રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

નવીન રસ્તા બાબતે રજુઆત કરતા જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, આ રસ્તા બાબતે નેતાઓ પણ ખોટા ખોટા આશ્વાસન આપે છે અને રસ્તો થતો નથી. બીજી બાજુ જો આ રસ્તો નવો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી છે. વધુમાં આ રસ્તાનું સમારકામ હલકી ગુણવતાનું થાય છે જેના કારણે અકસ્માતો સર્જાય છે જો આ રસ્તો ટૂંક સમયમાં નવીન નહિ બને તો ગાંધી ચીંધે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.